Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મુખ્યમત્રીને મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદના મહેસુલ ભવન ખાતે યોજાશે

ગાંધીનગર :   મુખ્યમંત્રીના  વિવિધ કાર્યક્રમો તેમ જ પ્રવાસ દરમિયાન મળેલી ભેટ-સોગાદોની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ તા-13-09-201ના રોજ મહેસુલ ભવન, ગોતા ઓવરબ્રીજ પાસે, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શન – વેચાણમાંથી પ્રાપ્ત થનારી રકમ મુખ્યમંત્રીની કન્યા કેળવણી નીધિમાં જમા કરાવવામાં આવશે

આ કાર્યક્રમનો શુભારંભ 13-09-2021 ના રોજ સવારે 11-00 કલાકે અમદાવાદ જિલ્લા કલેક્ટર  સંદિપ સાગલે કરાવશે

(8:52 pm IST)