Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકને મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ ખુલ્લું મુક્યું

ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા

અમદાવાદ :ભારતની મહામૂલી આઝાદીને ૭૫મું વર્ષ પ્રારંભ થયું છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવનું પર્વ મનાવાઈ રહ્યુ છે ત્યારે દેશની આઝાદી માટે લડનાર ક્રાંતિવીરોના યોગદાન, લડવૈયાઓના બલિદાનની વિગતો સાંકળીને તૈયાર કરવામાં આવેલ આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ આજરોજ વિમોચન કરી ખુલ્લુ મુક્યુ હતું.

 ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.જગદીશ ભાવસારને પુસ્તકના સુંદર સંકલન બદલ મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા હતાં.

આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા સાથે દેશની આઝાદી માટે ૧૮૫૭ થી સંઘર્ષ પ્રારંભ કરનારાં લડવૈયાઓના ટૂંકા જીવનવૃતાંતને તેમજ જીનિવાની ધરતી પરથી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા અને વિરાંજલીયાત્રા યોજવામાં આવી તેની તસવીરો અને વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી તેની વિગતો પુસ્તકમાં સાંકળવામાં આવી છે અને આઝાદીના અમૃતમહોત્સવે ભાવિ પેઢીને માર્ગદર્શનરૂપ બની રહે તેવી ઔતિહાસિક વિગતો સાથેનું સંકલન તૈયાર કરાયું છે તે બદલ ભાવસારને મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીએ ધન્યવાદ આપ્યા હતાં.

  આજના પુસ્તક વિમોચન પ્રસંગે ડૉ.જગદીશ ભાવસાર સાથે રન્નાદે પ્રકાશનના હેમેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતાં.   આઝાદીના અમૃતપુત્ર શ્યામજી કૃષ્ણવર્મા પુસ્તકના સંકલનકર્તા ડૉ.જગદીશ ભાવસારે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે પુસ્તક વિમોચનની મહત્વની ક્ષણ (સમય) સાર્વજનિક ગણેશ ઉત્સવના પ્રણેતા લોકમાન્ય બાળગંગાધર ટિળકને યાદ કરી ગણેશચતુર્થીએ પ્રદાન કરવાં બદલ મુખ્યમંત્રી વીજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.

(7:15 pm IST)