Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ નોંધાયા:વધુ 1082 દર્દીઓ સાજા થયા:આજે ચાર દર્દીઓના મૃત્યુ થયા : કુલ મૃત્યુઆંક 10,981 થયો : કુલ 12.46.972 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.93,177 લોકોનું રસીકરણ કરાયું

-મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 5321 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 678 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 1082 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.46.972 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી ચાર દર્દીના મૃત્યુ થયા છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, ભરૂચમાં એક, અને અમદાવાદમાં એક મળીને કુલ ચાર દર્દીઓના મૃત્યુ થયા છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.981 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.71 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.93.177 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.93.09.087 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 5321 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 12 દર્દી વેન્ટિલેટર પર છે,અને 5309 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 678 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 189 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 61 કેસ,ગાંધીનગરમાં 41 કેસ,સુરત કોર્પોરેશનમાં 35 કેસ,વડોદરામાં 33 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 28 કેસ, અમરેલી અને રાજકોટ કોર્પોરેશનમાં 26-26 કેસ, મોરબીમાં 25 કેસ, રાજકોટમાં 24 કેસ, મહેસાણામાં 23 કેસ, સુરતમાં 22 કેસ, કચ્છ અને સાબરકાંઠામાં 17-17 કેસ, ભરૂચમાં 15 કેસ, નવસારીમાં 13 કેસ, પંચમહાલમાં 10 કેસ, વલસાડમાં 9 કેસ, પોરબંદરમાં 8 કેસ, બનાસકાંઠા અને જામનગર કોર્પોરેશનમાં 7-7 કેસ, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન અને ખેડામાં 6-6 કેસ, આણંદ અને જામનગરમાં 4-4 કેસ, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ, ભાવનગર, ગીર સોમનાથ,અને પાટણમાં 2-2 કેસ, દાહોદ,જૂનાગઢ કોર્પોરેશન , સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:23 pm IST)