આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એક દિવસીય ગુજરાત મુલાકાતે : આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત રાજ્યના અનેક નેતાઓ અને કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
રાજકોટ તા.૧૦ :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી આજે 10 ઓગસ્ટના રોજ તેમની એક દિવસીય ગુજરાત મુલાકાતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં, આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત રાજ્યના અનેક નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ જી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જનતાના પ્રશ્નો ના આધારે અમે લોકો સમક્ષ અમારો પક્ષ રજૂ કરી રહ્યા છીએ. જ્યારે અમને ખબર પડી કે વીજળી ખૂબ મોંઘી છે, તો અમે મફત વીજળી પર ગેરંટી આપી, જ્યારે અમને ખબર પડી કે બેરોજગારીની મોટી સમસ્યા છે, તો અમે રોજગાર પર ગેરંટી આપી. આ ઉપરાંત અમે વેપારીઓને અને આદિવાસી સમાજના લોકોને ગેરંટી આપી હતી. આજે અમે ગુજરાતની મહિલાઓ સાથે તેમની સમસ્યા અંગે ચર્ચા કરીશું અને અમારી તરફથી ગેરંટી જાહેર કરીશું.
'ફ્રી રેવડી' પર વાત કરતા તેમણે કહ્યું કે તેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આમ આદમી પાર્ટી પણ તેમાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ દેશની આઝાદી ના 75 વર્ષ પછી પણ જો કોઈ કહે કે મફત શિક્ષણ આપવું એ મફત ની રેવડી છે તો આપણા ગરીબોના બાળકો ક્યાં ભણવા જશે? જો એમ કહેવામાં આવે કે બધી સરકારી શાળાઓ બંધ કરીને મફત ના બદલે પૈસાથી ભણાવો અને ખાનગી શાળાઓમાં જ બાળકોને ભણાવો તો રિક્ષા ચાલકનું બાળક, ખેડૂતનું બાળક, ગરીબનું બાળક કેવી રીતે શિક્ષણ મેળવશે?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી, ગુજરાતની મહિલાઓ માટે ગેરંટી જાહેર કરવા ગુજરાત પધાર્યા છે. આ માટે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ટાઉન હોલ કાર્યક્રમમાં પહોંચ્યા.
*ભાજપના 27 વર્ષના ગંદા શાસન બાદ ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છેઃ અરવિંદ કેજરીવાલ*
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી રક્ષાબંધન ના શુભ અવસર પર મહિલાઓ ને ગેરંટી ની જાહેરાત કરી ભેટ આપવા ટાઉન હોલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા કહ્યું કે, "છેલ્લા કેટલાક મહિનાઓથી હું ઘણી વાર ગુજરાત આવ્યો છું અને ગુજરાતના લોકોનો પ્રેમ, આદર અને વિશ્વાસ મળ્યો છે. પહેલા લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કંઈ થઈ શકે તેમ નથી, પણ જેમ જેમ અમે લોકો સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે ખબર પડી રહી છે કે લોકો અંદરથી કેટલા દુઃખી છે, લોકો અંદરથી કેટલા ડરી ગયા છે, પરંતુ હવે લોકો બોલવા લાગ્યા છે અને ખુલીને સામે આવી રહ્યા છે. હવે લાગે છે કે ભાજપના 27 વર્ષના ગંદા શાસન બાદ ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેને જડમૂળથી ઉખાડી ને એક નવા પ્રકારનું રાજકારણ લાવવા માંગે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી આમ આદમી પાર્ટી સકારાત્મક અભિયાન ચલાવી રહી છે, અમે કહી રહ્યા છીએ કે જો અમે સત્તામાં આવીશું તો શું કરીશું. અમે કહીએ છીએ કે અમે ગુજરાતમાં પણ તે જ કરીશું જે દિલ્હીમાં કર્યું છે. અમે જુઠ્ઠા વાયદાઓ નથી કરતા, અમે તે જ કરીશું જે અમે પંજાબમાં પણ કરી રહ્યા છીએ. અમે શાળાઓ બનાવીશું, અમે હોસ્પિટલો બનાવીશું, અમે નોકરીઓ આપીશું, અમે મફત વીજળી આપીશું. અમે જનતાના મુદ્દાઓ ની વાત કરી રહ્યા છીએ. ભાજપ કોંગ્રેસના લોકો આ બધું નથી કરતા. ભાજપ કોંગ્રેસના લોકો આવે છે અને એકબીજાને ગાળો આપીને જતા રહે છે, પરંતુ જનતા ને કશું મળતું નથી. અને બંનેએ અંદરથી સેટિંગ કરીને જ રાખ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીના આગમન બાદ પ્રથમ વખત લોકોને લાગે છે કે વધુ સારો વિકલ્પ આવી ગયો છે અને લોકોની સમસ્યાઓ નો ઉકેલ પણ મળી જશે.
*અમે અત્યાર સુધી વીજળીના મુદ્દે, રોજગાર ના મુદ્દે, વેપારીઓ અને આદિવાસી લોકોને ગેરંટી આપી છેઃ અરવિંદ કેજરીવાલ*
અમે લોકો પાસે ગયા ત્યારે જનતાએ કહ્યું કે વીજળી ખૂબ મોંઘી છે અને આટલી મોંઘવારીને કારણે અમે વીજ બિલ ભરી શકતા નથી. લોકોના નાના ઘરમાં પંખો, ટીવી, ફ્રીજ અને ટ્યુબ લાઈટ છે છતાં તેનું બિલ 5000-10000 આવે છે. શું તે તેના બાળકોની સંભાળ લેશે કે પછી તે વીજળીનું બિલ ચૂકવશે? આથી અમે પહેલી ગેરંટી આપી હતી કે જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી કરી છે, તેવી જ રીતે જો ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સરકાર બન્યા ના 3 મહિના બાદ જ અમે ગુજરાતમાં પણ દરેક માટે વીજળી ફ્રી કરીશું. જુના બિલ માફ કરીશું અને દરેકનું વીજ બિલ શૂન્ય આવશે. પછી અમને ખબર પડી કે ઘણા લોકો બેરોજગાર છે, તેથી અમે બીજી ગેરંટી આપી કે જો અમારી સરકાર બનશે તો અમે આગામી 5 વર્ષમાં દરેક યુવાનોને રોજગાર આપીશું. અને જ્યાં સુધી તેમને રોજગાર ન મળે ત્યાં સુધી તેઓને દર મહિને ₹3000 નું બેરોજગારી ભથ્થું આપશું. આ સિવાય અમે 10 લાખ સરકારી નોકરીઓ ની ભરતી કરીશું, અમે તેના માટે તમામ પ્લાનિંગ કરી લીઘી છે. પછી જ્યારે અમે વેપારીઓને મળ્યા ત્યારે વેપારીઓ એ કહ્યું કે, તેમને ઘણી ધમકીઓ આપવામાં આવે છે, તેમના પર દરોડા પાડવામાં આવે છે, ત્યારે અમે તેમને ગેરંટી આપી કે અમારી સરકાર બનશે તો અમે આ રેડ રાજ બંધ કરીશું, વેપારીઓને ડરાવવાનું બંધ કરીશું. વેપારીઓને ખુલ્લેઆમ સન્માન સાથે વેપાર કરવા દઈશું. અમે તેમની સાથે તેમના તમામ મુદ્દાઓ પર વાત કરી. ત્યારબાદ અમે આદિવાસી સમાજના લોકો પાસે ગયા અને તેમની સમસ્યાઓ જાણીને ગેરંટી આપી.
*સરકાર બન્યા બાદ દરેક મહિલાઓને દર મહિને સન્માન રાશિ ના રૂપે 1000 રૂપિયા આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ*
આ રીતે અમે અત્યાર સુધીમાં ગુજરાતની જનતાને ચાર ગેરંટી આપી છે. અને આજે અમે પાંચમી ગેરંટી આપવા આવ્યા છીએ. આજે અમે ગુજરાતની મહિલાઓ ને ગેરંટી આપવા આવ્યા છીએ. અમારી પ્રથમ ગેરંટી એ છે કે, 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને તેમના બેંક ખાતામાં ₹1000 આપવામાં આવશે. આ ફ્રી રેવડી નથી, પરંતુ મહિલાઓનો અધિકાર છે. આ મહિલાઓના પૈસા છે તેથી મહિલાઓને તે પરત મળવું જોઈએ. જનતાનું નાણું સ્વિસ બેંકમાં ન જવું જોઈએ પરંતુ જનતાને પરત કરવું જોઈએ. કેટલાક લોકો પૂછે છે કે મહિલાઓ ને આ હજાર રૂપિયા શા માટે આપવામાં આવે છે? હું આનો જવાબ આપવા માંગુ છું, હું આવી ઘણી દીકરીઓ ને ઓળખું છું જે 18 વર્ષથી ઉપરની છે, જેઓ અભ્યાસમાં ઝડપી છે અને જેમને કોલેજમાં એડમિશન તો મળી ગયું છે પરંતુ કોલેજમાં જવા માટે પૈસા નથી. આ કારણે તે પોતાનો અભ્યાસ ચૂકી જાય છે. ઘણી દીકરીઓ એવી છે કે જેમની પાસે કોલેજમાં ફી ભરવા માટે પૈસા નથી અને તે કારણે તેઓ પોતાનો અભ્યાસ ચૂકી જાય છે. તેથી આ હજાર રૂપિયા ના ઉપયોગ થી તેમણે તેમનો અભ્યાસ પૂર્ણ કરવામાં ઘણી મદદ મળશે.
*આ યોજનાથી આપણી માતાઓ અને બહેનોને મોંઘવારીના સમયમાં આર્થિક રાહત મળશેઃ અરવિંદ કેજરીવાલ*
ઘણી પરિણીત બહેનો છે જેઓ આ મોંઘવારીના જમાનામાં પોતાનું ઘર બરાબર ચલાવી શકતી નથી. જેમના પતિ નો પગાર વધી રહ્યો નથી પરંતુ ઘરનો ખર્ચ વધી રહ્યો છે. જો તેમને હજાર રૂપિયા આપવામાં આવે તો તે તેના બાળકોને સારો પૌષ્ટિક ખોરાક ખવડાવી શકશે અને ઘરના ખર્ચમાં થોડી મદદ મળશે. આપણી ઘણી માતાઓ એવી છે કે જેમની પાસે પોતાના પૈસા નથી, તેથી ક્યારેક તેમને તેમના પુત્ર પાસેથી પૈસા માંગવા પડે છે અને ક્યારેક તેમને પૈસા મળે છે અને ક્યારેક નથી મળતા. અને જ્યારે તે ન મળે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે, તેથી જો આપણે તે માતાના હાથમાં હજાર રૂપિયા આપીએ, તો તેણીએ તેના પતિ કે પુત્ર પાસેથી પૈસા માટે લડવાની જરૂર નથી. અને જ્યારે તેણે પોતાના હાથેથી કોઈ દીકરી ને પૈસા આપવાના હોય ત્યારે તે આ પૈસા તે દીકરીના હાથમાં મૂકી દે અને પછી તે ખૂબ જ હળવાશ અનુભવશે. દરેક માતા અને બહેન ના હાથમાં આ હજાર રૂપિયા આપવાથી આપણી અર્થવ્યવસ્થા પર ખૂબ જ સકારાત્મક અસર પડશે.
*કુપોષણ ની બીમારી પર કાબુ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે મહિલાઓ ના હાથમાં પૈસા આપવામાં આવે: અરવિંદ કેજરીવાલ*
કુપોષણ પર વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે એક મહિલા તેના બાળકો ને સૌથી વધુ પ્રેમ કરે છે, પરંતુ તે મહિલા પાસે તેના બાળક ને ઉછેરવા માટે પૈસા નથી. આવી સ્ત્રીના હાથમાં હજાર રૂપિયા આપીએ તો સૌથી પહેલા તેના બાળકોને સારું ભોજન ખવડાવશે. તેથી જ હું માનું છું કે કુપોષણના રોગને દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ તેમના હાથમાં પૈસા આપવાનો છે. અત્યાર સુધી વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે, પરંતુ કુપોષણને દૂર કરવાની આ શ્રેષ્ઠ યોજના છે.
*અમે જનતાના હાથમાં પૈસા આપીએ છીએ મોટા ઉદ્યોગપતિઓના હાથમાં નહીં: અરવિંદ કેજરીવાલ*
એક વાત એ છે કે, જો હવે મોટા અબજોપતિ લોકોના હાથમાં પૈસા મૂકશે, તો તેઓ તે પૈસાનું શું કરશે? જો તેની પાસે અત્યારે બે વિમાન હશે તો તે વધુ બે ખરીદશે, બે ત્રણ મોટા બંગલા ખરીદશે. આનાથી અર્થતંત્રને ફાયદો નથી થતો. પરંતુ જ્યારે સામાન્ય બહેનોના હાથમાં પૈસા જશે, ત્યારે તે બજારમાં જઈને શાકભાજી અને લોટ ખરીદશે અને બીજી કેટલીક વસ્તુઓ ખરીદશે, તો તેનાથી અર્થતંત્ર ને ઘણો ફાયદો થશે. આનાથી બજારમાં માંગ વધે છે અને જ્યારે માંગ વધે છે ત્યારે તે વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને ઉત્પાદન વધારવા માટે નવા કારખાના ઉભા કરવા પડે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે સામાન્ય માણસના હાથમાં પૈસા જશે ત્યારે અર્થવ્યવસ્થા વધશે અને જેટલા પૈસા અમીરોના હાથમાં જશે તેટલી જ અર્થવ્યવસ્થા નબળી પડશે.
*અન્ય પાર્ટીના લોકો તમારા બધા પૈસા તેમના અમીર મિત્રો પાછળ ખર્ચ કરે છે, તેમની લોન માફ કરો, તેમના ટેક્સ માફ કરે છે, અને અમે જનતાના હાથમાં પૈસા આપીએ છીએ: અરવિંદ કેજરીવાલ*
જે લોકો અમારો વિરોધ કરે છે તેમને હું કહેવા માંગુ છું કે અમે આ યોજના ખૂબ જ સમજી વિચારીને બનાવી છે. આ યોજનાથી કરોડો મહિલાઓને ફાયદો થશે, કરોડો પરિવારોને ફાયદો થશે. અને જેઓ કહે છે કે આ માટે પૈસા ક્યાંથી આવશે? તો તેના માટે હું એક ઉદાહરણ આપીને સમજાવવા માંગુ છું કે, પંજાબમાં અમે કહ્યું હતું કે વીજળી મફત મળશે, તો લોકોએ પૂછ્યું કે તેના માટે પૈસા ક્યાંથી આવશે. માર્ચ મહિનામાં પંજાબમાં અમારી સરકાર બની, સરકાર બન્યા પછી ના 3 મહિનામાં અમને 21 હજાર કરોડનો ટેક્સ મળ્યો, જ્યારે પાછલા વર્ષમાં માત્ર 15 હજાર કરોડનો જ ટેક્સ જમા થયો હતો. આનો અર્થ એ છે કે અમારી ઈમાનદાર સરકાર બન્યા પછી, અમે પહેલા 3 મહિનામાં જ 6000 કરોડ વધુ ટેક્સ એકત્રિત કર્યો. આખા વર્ષ માટે વીજળી ફ્રી કરવા માટે અમને 3000 કરોડ રૂપિયાની જરૂર હતી અને અમારી પાસે 6000 કરોડ રૂપિયા વધુ આવ્યા. મતલબ કે આપણા દેશમાં પૈસાની કોઈ અછત નથી, દેશમાં પૈસા છે. આ અન્ય પાર્ટીના લોકો તમારા બધા પૈસા તેમના સમૃદ્ધ મિત્રો પાછળ ખર્ચ કરે છે, તેમના દેવા માફ કરો, તેમના કર માફ કરો. તેઓ જનતા પાસેથી GST લઈને, તેમના મિત્રો પર ઉડાવે છે. અમે આ બધું બંધ કરીશું, ભ્રષ્ટાચાર બંધ કરીશું અને ઈમાનદારીથી જનતાની સરકાર ચલાવીશું. હું 7 વર્ષથી દિલ્હી ની સરકાર ચલાવી રહ્યો છું, મેં એક જ વાત શીખી છે કે, સરકારમાં પૈસાની કોઈ કમી નથી, પરંતુ સંકલ્પ નો અભાવ છે. સારા ઈરાદા વાળી સરકાર આવશે તો બધું થઈ જશે.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી સહિત આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી જવેલ વસરા, પ્રદેશ મહિલા વિંગ પ્રમુખ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ મેઈન વિંગ ઉપપ્રમુખ રીનાબેન રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.