Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડીસીએમ કોલેજ વિરમગામ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આઝાદી ના 75 વર્ષની ઉજવણી નિમિતે "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી અંતર્ગત  "હર ઘર તિરંગા" કાર્યક્રમ સંદર્ભે  ડી સી એમ કોલેજ પરિવાર દ્વારા  "તિરંગા યાત્રા" કાઢવામાં આવી હતી.  આ યાત્રામાં કોલેજના પ્રોફેસર  નીતિનભાઈ પેથાની, અશ્વિનભાઈ આણદાણી, જગદીશભાઈ સહિત અન્ય પ્રોફેસર ગણ, પૂર્વ ધારાસભ્ય  વજુભાઇ ડોડીયા, ડો.તેજશ્રીબેન પટેલ,વપ્રાગજીભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ , નગરપાલીકા પ્રમુખ ચેતનભાઈ રાઠોડ, હરીશભાઈ મચ્છર, મહામંત્રી દીપકભાઈ પટેલ, રસિકભાઈ, શૈલેષભાઇ કોલેજના NCC અને NSS ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:35 pm IST)