Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમદાવાદ રાજપથ કલબના મેનેજીંગ કમિટીના સભ્યોની 10 બેઠકો બિનહરીફ જાહેર

મેનેજીંગ કમિટીના 10 સભ્યોમાં બે નવા ચહેરા ઉમેરાયાં: 26મીએ વાર્ષિક સામાન્ય સભા

અમદાવાદ :  રાજપથ કલબના મેનેજીંગ કમિટીના સભ્યોની 10 બેઠકો આજે બિનહરીફ જાહેર થઇ છે. આ 10 ઉમેદવારોમાં બે ઉમેદવારો અનિલ માણેકલાલ શાહ તથા મનોજ રોહિતભાઇ પટેલ ( મુખી )નો સમાવેશ થાય છે. 47મી વાર્ષિક સામાન્ય સભાની બેઠક આગામી તા.26મી ઓગસ્ટના રોજ યોજાશે.

રાજપથ કલબમાં મેનેજીંગ કમિટીમાં 30 સભ્યો ત્રણ વર્ષ માટે ચૂંટાતા હોય છે. આ 30 સભ્યોમાંથી દર વર્ષે 10 સભ્યોની રોટેશન મુજબ ચૂંટણી યોજવામાં આવતી હોય છે. આ વર્ષે પણ 10 સભ્યોની ચૂંટણી યોજવાની જાહેરાત ઓગસ્ટના અંતમાં કરવામાં આવી હતી. જાહેરાત મુજબ ચુંટણી 23થી 25 ઓગસ્ટ દરમિયાન થવાનું હતું. તેના માટેના ઉમેદવારી પત્રો ભરવાની તારીખ 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ દરમિયાન રાખવામાં આવી હતી.

જયારે ઉમેદવારી પત્રો પાછાં ખેંચવાની તારીખ 12મી ઓગસ્ટ તથા ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 13મી ઓગસ્ટ રાખવામાં આવી હતી. પરંતુ આ રોટેશન પ્રમાણે યોજાનારી 10 બેઠકોની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ 10 બેઠકો સામે 10 ઉમેદવારી પત્રો જ આવ્યા હોવાથી તમામ બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી. જેમાં આઠ ઉમેદવારો તો જૂના સભ્યો જ છે. બાકીના બે નવા ચહેરા ઉમેરાયાં છે.

કોણ છે દસ બિનહરીફ થયેલા સભ્યો

1) અનિલ માણેકલાલ શાહ
2) દિલીપ મહેન્દ્રભાઇ પટેલ
3) કિરણકુમાર રાજીવભાઇ વસાણી
4) મનોજભાઇ રોહિતભાઇ પટેલ ( મુખી )
5) મિશાલ ઇલેશભાઇ પટેલ
6) મુકેશ કાન્તિલાલ પટેલ
7) પ્રાગજીભાઇ ગોબરભાઇ કાકડીયા
8) રાજીવ અરવિંદભાઇ શાહ
9) રક્ષેશ ચંદ્રવદનભાઇ સતિયા
10) રક્ષિત સુરેશભાઇ પટેલ

(9:14 pm IST)