Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અમદાવાદમાં બે દિવસ પહેલા અમરાઇવાડીમાં યુવકની જાહેરમાં હત્યા કરનારા આરોપીઓઍ જ કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂ.૧૬.૩૦ લાખની લૂંટ કર્યાનું ખુલ્યુ

અમરાઇવાડી પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, ઍજન્સીઓ નિષ્ક્રિય રહેતા ગુન્હેગારો બેફામ બન્યાનો આક્ષેપ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગુનેગારો બેફામ બની રહ્યા છે. એક બાદ એક લૂંટની ઘટના બની રહી છે. કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા 16.30 લાખની લૂંટ કરી બે બાઇક સવારો ફરાર થઈ ગયા છે. લૂંટ કરનાર અન્ય કોઈ નહીં પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર જ રાજા ઉર્ફે ભાવેશ હોવાનું ખુલ્યું છે. અમરાઈવાડી પોલીસ, ઉચ્ચ અધિકારીઓના સ્કવોડ અને ક્રાઇમ બ્રાન્ચ રાજા ઉર્ફે ભાવેશને ન પકડી શકતા તેણે વધુ એક ગુનો આચરી પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપી હોય તેવી સ્થિતી સર્જાઈ છે. અમરાઈવાડી પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ નિષ્ક્રિય રહેતા ગુનેગારો બેફામ બન્યા છે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી રહી છે ગુનેગારો બેખોફ બની અસામાજિક તત્વો પોલીસને પડકાર આપી રહ્યા છે. એક બાદ એક હત્યા અને લૂંટના બનાવો બની રહ્યા છે. પોલીસ હત્યારાઓને ન પકડી શકતા આરોપીઓ વધુ ગુના આચરી રહ્યા છે. બે દિવસ પહેલા અમરાઈવાડીમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીએ જ લૂંટ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

અમદાવાદમાં સોમવારે કાગડાપીઠ વિસ્તારના વણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે લૂંટની ઘટના બનવા પામી છે. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટવાના 24 કલાકમાં પૂર્ણ થયા છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લૂંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે.

ફરિયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને અમરાઈવાડી ખાતે આવેલા શ્યામ એજન્સીના કર્મચારીઓ હતા. આ એજન્સી પાસે ITCની ડીલરશીપ છે, જેની રોજબરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેન્કમાં જમા કરવા જતા હોય છે. આ દરમિયાન લૂંટ થઈ હતી

(5:13 pm IST)