Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મહાકાય મગરનો મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો વસવાટ કરે છે. છેલ્લા દોઢ મહિનામાં વિશ્વામિત્રીમાંથી ચાર મગરોના મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આજે સવારે અંદાજે 200થી વધુ વજન ધરાવતો 11 ફૂટ લાંબો મહાકાય મગરનો મૃતદેહ નદીમાંથી મળી આવતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગે મગરને બહાર કાઢી મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી છે.

 

(4:52 pm IST)