Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

નડિયાદના ભવાનીપુરામાં નજીવી બાબતે થયેલ જૂથ અથડામણમાં પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ:શહેરના શુક્રવારની મોડી રાતે ભવાનીપૂરામાં થયેલ જૂથઅથડામણ અંગે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવમાં નામજોંગ પાંચ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવ અંગે નોધાયેલ ફરિયાદ પ્રમાણે અમદાવાદી દરવાજા બહાર ભવાનીપૂરામાં રહેતા મૂકેશભાઇ પરમાર અને તેમના કાકાનો દિકરો નરેશભાઇ ઘરની સામેની સાઇડ આવેલ લાકડાના પીઠા આગળ બેઠા હતા.તે સમયે કાનજીભાઇ દેવસીભાઇ પરમાર,રવિ કાનજીભાઇ પરમાર,કરણ ચીમનભાઇ પરમાર આવ્યા હતા.આ બાદ રવિ અને કરણના હાથમાં રહેલ સ્ટીલનુ ચપ્પુ હતુ.કાનજીભાઇએ જૂના ઝઘડાની અદાવત રાખી એકદમ લાફો મારી કહેલ કે લાકડાનુ પીઠુ ખાલી કરી નાખજે,જેથી મૂકેશભાઇએ જણાવેલ કે તમે મારી સાથે ઝઘડો કેમ કરો છો,તે સમયે કાનજીભાઇ ભાઇનુ ઉપરાણુ લઇ આવી ગાળો બોલવા લાગ્યા હતા અને હાથમાં રહેલ સ્ટીલનુ ચપ્પુ છાતીના વચ્ચેના ભાગે માર્યુ હતુ.તેની સાથે રહેલ રવિએ નરેશભાઇને ધક્કો મારી પાડી દીધા હતા.
વળી અજયભાઇ પરમાર,રણજીત પરમાર આવી બંને વ્યક્તિઓ સાથે ઝપાઝપી કરી હતી.જેમાં રણજીતના હાથમો રહેલ ચપ્પુ મૂકેશભાઇને હાથે માર્યુ હતુ.તેમજ અજયના હાથમાં રહેલ કોઇ ધારદાર વસ્તુ છુટ્ટી મારતા ડાબા પગમાં મારી હતી.વળી જતા જતા ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે મૂકેશભાઇ ખુશાલભાઇ પરમારે નડિયાદ ટાઉન પોલીસ મથકે કાનજીભાઇ દેવજીભાઇ પરમાર,રવિ કાનજીભાઇ પરમાર,કરણ ચીમનભાઇ પરમાર,અજય ચીમનભાઇ પરમાર અને રણજીત રમણભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(4:48 pm IST)