Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ ગાદીના વિવિધ મંદિરોમાં હરિને હૈયાનાં હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવ તથા ચાતુર્માસ કથા

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરમાં શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની ચાતુર્માસ કથા..

વિધ વિધ શણગારેલાં હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે

અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના માસ. દર વર્ષે અષાઢ- શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઊર્મિઓ ઠાલવે છે. કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સીંચે છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે.

આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે. ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિથી શણગારવામાં આવે છે. 

 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન, મન અને ધનથી સેવા કરીને પ્રસન્ન કરીએ.

હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો- ભકતોએ 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત

પંચમહાલ જિલ્લાના વિવિધ શ્રી સ્વામિનારાયણ મંદિરો - શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર, મોરડુંગરા, બોડિદ્રાબુઝર્ગ, શનિયાડા વગેરે મંદિરોમાં "શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ" ઉપક્રમે

હિંડોળા સજાવ્યા છે. જેનાં દર્શનથી હજારો ભાવિકો કૃતાર્થ થયા છે.

વળી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા - સંસ્કૃતમાં "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર" પંચ દિનાત્મક ચાતુર્માસ કથા - સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં અનેકવિધ દિવ્ય ચરિત્રોનું રસપાન સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. પંચમહાલના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શ્રી વિશ્વમંગલદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણવલ્લભદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(1:23 pm IST)