Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આણંદમાં ભાડુઆતના મકાનનું તાળું તોડી દસ્તાવેજો ચોરી થતા ગુનો દાખલ

આણંદ: શહેરના મીનરવા ગેસ્ટહાઉસ પાછળ આવેલી રણછોડભાઈની ચાલીમાં રહેતા એક ભાડુઆતના મકાનનુ તાળુ તોડીને અંદરથી કીમતી દસ્તાવેજોની ચોરી કરી લઈ પોતાનું તાળુ મારી દેતાં અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

 


પ્રાપ્ત વિગતો અનુસાર રણછોડભાઈની ચાલીમાં રહેતા પ્રદીપભાઈ રણછોડભાઈ પરમારનો પરિવાર સને ૧૯૫૨થી જે મકાનમાં રહે છે તેમાં ભાડુઆત તરીકે છે. અને મકાનનો કબજો પણ તેમની પાસે છે. ગત ૭મી તારીખના રોજ સવારના ૧૧ થી વાગ્યા દરમ્યાન અમિતભાઈ જયંતિભાઈ મિસ્ત્રી, સુમિતભાઈ ગુરૂભાઈ મિસ્ત્રી તથા સાગરભાઈ ગુરૂભાઈ મિસ્ત્રીએ તાળુ તોડી નાંખ્યું હતુ અને અંદર પ્રવેશ કરી પ્રદિપભાઈના કીમતી દસ્તાવેજો જેમાં માર્કશીટ, અસલ એલસી વગેરેની ચોરી કરી લીઘી હતી. ત્યારબાદ પોતાનું તાળુ મારી દીધુ હતુ. અંગે રણછોડભાઈએ ઠપકો આપતાં તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

(6:34 pm IST)