Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આતંકવાદીઓના ખાત્મા માટે સેનાનું ઓપરેશન યથાવત

રાજનાથસિંહ અમદાવાદમાં

નવી દિલ્હી  : કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ આજે અમદાવાદની મુલાકાતે છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓએ હાજરી આપી હતી.

ગુજરાત યુનિવર્સિટીમાં આયોજીત ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં રાજનાથસિંહે ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને વિભાવરી દવે ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે ઓલ ઈંડિયા ફોરેન્સિક કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જમ્મૂના આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો થયો છે. જેને લઇ ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મૂ-કાશ્મીરના ડીજીપી સાથે વાત કરી હતી. ડીજીપી એસપી વૈધે આતંકવાદી હુમલા વિશેની ગૃહમંત્રીને સમગ્ર માહિતી આપી છે. ગૃહ મંત્રાલય સમગ્ર દ્યટના પર નજર રાખી રહ્યું છે. આતંકવાદીઓના ખાત્મો માટે સેનાનું ઓપરેશન યથાવત્ છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેઓ અમદાવાદની મુલાકાતે છે અને ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સમાં ભાગ લેશે.

(5:15 pm IST)