Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પાવાગઢ મંદિર ૧૩ થી ૧૭ સુધી બંધ : પરિસરમાં સ્તંભ ઉભા કરવાની કામગીરી

હાલોલ,તા. ૯ : શકિતપીઠ પાવાગઢ મંદિરના જિર્ણોધ્ધારની કામગીરી માટે મંદિર તા. ૧૩ થી ૧૭ ડિસેમ્બર દરમિયાન ભાવિકો માટે બંધ રહેશે. તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતું. કાલીકા માતાના મંદિર પરિસરમાં હાલ સ્તંભ ઉભા કરવાની કામગીરી ચાલુ કરવામાં આવનાર છે. જીણોધ્ધાર બાદ પરિસરમાં ૨ હજારથી વધુ ભકતો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી થશે.

(12:36 pm IST)