Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 678 નવા કેસ નોંધાયા:વધુ 810 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10,977 થયો : કુલ 12.45.890 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.53.910 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 5729 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 678 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 810 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.45.890 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીના મૃત્યુ થયા છે,અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મૃત્યુ થયું છે,કુલ મૃત્યુઆંક 10.977 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.68 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 1.53.910 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.91.15.910 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 5729 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 15 દર્દી વેન્ટિલેટર પર છે,અને 5714 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 678 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 261 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 91 કેસ, સુરત કોર્પોરેશનમાં 37 કેસ,સુરતમાં 27 કેસ,મહેસાણામાં 22 કેસ,બનાસકાંઠામાં 19 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ, ભરૂચ અને રાજકોટમાં 14-14 કેસ, કચ્છમાં 13 કેસ, અમરેલી, ગાંધીનગર,અને પાટણમાં 12-12 કેસ, અરવલ્લી અને સાબરકાંઠામાં 10-10 કેસ, પોરબંદરમાં 9 કેસ, વડોદરામાં 8 કેસ, આણંદ ,ભાવનગર કોર્પોરેશન અને નવસારીમાં 7-7 કેસ, વલસાડમાં 6 કેસ,ખેડામાં 5 કેસ,અમદાવાદ,જામનગર કોર્પોરેશન,પંચમહાલ અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, દાહોદ અને મોરબીમાં 3-3 કેસ, ભાવનગર,અને જામનગરમાં 2-2 કેસ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, નર્મદા અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(7:42 pm IST)