Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

પોઇચા નર્મદા નદીમાં ગોધરાનાં 2 યુવાનો ડૂબી જતાં પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ખાતે આવેલું નર્મદા નદીમાં બે યુવાનો ઊંડા પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેશકુમાર અમરસિંગ વાલ્મીકિ (રહે.રામેશ્વર નગર ખાડી ફળીયુ ગોધરા જી.પંચમહાલ) એ રાજપીપળા પોલીસને જાણ કર્યા મુજબ તેઓ પરિવાર સાથે ગોધરાથી પોઇચા નર્મદા સ્નાન અને દર્શનાર્થે આવેલાં હોય પોઇચા નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા હતા ત્યારે( ૧ ) હર્ષવર્ધનસિંહ ઉમેશકુમાર વાલ્મીકિ આ.ઉ.વ .૧૭ તથા ( ૨ ) જનકસિંગ બુધાભાઈ વાલ્મીકિ આ.ઉ.વ.ર ૩ (બન્ને રહે.ગોધરા )નાઓ પોઈચા નર્મદા નદીના ઉંડા પાણીમાં તણાઈ જઈ ડુબી જતા મોત થયું હતું.રાજપીપળા પોલીસે બંને નાં મૃતદેહો ને પીએમ માટે મોકલું જરૂરી કાર્યવાહી કરી છે

(11:28 pm IST)