Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં પગ સડી જવાના કારણોસર યુવાને આપઘાત કરી જીવનલીલા સંકેલતાં ચકચાર

વડોદરા,: શહેરના દંતેશ્વર અનુપમ નગરમાં રહેતા .યુવાનનો પગ સડી ગયો  હતો.તેના કંટાળીને તેણે આજે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.મકરપુરા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, દંતેશ્વર અનુપમનગરમાં રહેતા ૪૨ વર્ષના કિરણ તુકારામ કાળે મકરપુરા જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે.આજે સવારે તે ઘરેથી નીકળ્યા હતા.અને રસ્તામાં ઝેરી દવા  પીને આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ મકરપુરા પોલીસને થતા પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરી હતી.પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,કિરણને દશ   વર્ષ  પહેલા કૂતરૃં કરડયું  હતું.તે સમયે તેને સારવાર નહી કરાવતા તેનો પગ સડી ગયો હતો.પગ સડી જતા તે કંટાળી ગયો હતો.અને તેના કારણે જ આપઘાત કરી લીધો હોવાનું હાલના તબક્કે અનુમાન સેવાઇ રહ્યું છે.

(6:02 pm IST)