Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સુરતના ઉઘના વિસ્તારમાં એકલવાયા જીવનથી કંટાળી યુવાને આપઘાત કરતા ચકચાર

સુરત: શહેરનાઉધનામાં આપઘાતનાં બે બનાવમાં યુવાને એકલવાયા જીવનથી કટાંળીનેઆપઘાત કર્યો હતો. પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના અકોલાના વતની અને હાલમાં ઉધનામાં જલારામ નગરમાં રહેતા 41 વર્ષના વિનોદ જીવનરાવ દેશમુખે ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. વિનોદે એકલવાયા જીવનથી કટાંળી આ પગલુ ભર્યુ હતુ. તે મોટા ભાઇ સાથે શેરડીના રસની લારી પર કામ કરતો હતો. બીજા બનાવમાં ઉધનામાં ભીમનગરમાં રહેતા 55 વર્ષના અશોકભાઇ રૃગુનાથભાઇ સિરસાઠે ગઇ કાલે રાતે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. તે છેલ્લા ઘણા સમયથી ટી.બીની બિમારીથી પીડાતા હતા. તેનાથી કટાંળી જઇને આ પગલુ ભર્યુ હતુ. આ  બંને બનાવ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)