Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

મહાશિવરાત્રી પર્વ નિમિતે રાજકોટ, જામનગર અને જુનાગઢમાં ૨૧મો રૂદ્દાક્ષ મહોત્સવ શરૂ

(કેતન ખત્રી) અમદાવાદઃ તા.૯, રૂદ્રલાઇફ, મુંબઇ દ્વારા અલભ્ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા વિશ્વભરમાં ૬૫૦ થી પણ વધારે સફળ રુદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિધ્ધમાળા, અન્નય ઇન્દ્રમાળા જેન્યુઇન કલેકટર ૧ થી ૨૧ મુખી  બીડસ તથા સ્ફટીકમાળનું અદ્ભુત કલેકશન ઉપલબ્ધ રહેશે. નિષ્ણાંત શ્રી તનય સીઠા દ્વારા માર્ગદર્શન અપાશે. પ્રદર્શન (૧) રાજકોટઃ૭ થી ૧૧ હોટલ સેન્ટોસા, યાજ્ઞીક રોડ, રેસકોર્સ રોડ પાસે મો.૯૩૨૨૭ ૯૧૨૧૮, (૨) જામનગર ૭ થી ૧૧ ટાઉન હોલ જામનગર, મહાનગર પાલિકા મો.૯૬૧૯૯૯૦૭૧૭, (૩) જુનાગઢ ૭ થી ૧૧ ફ્રેબુઆરી, ૨૦૧૮  સરદાર પટેલ કોમ્યુનિટી હોલ, મહર્ષી અરવિંદ માર્ગ , જયશ્રી સિનેમા પાસે મો.૯૯૩૦૨  ૦૨૪૧૨.

(4:51 pm IST)