Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

‘તેર તાંસળી'નું ઉપનામ મળેલ વિરલ વ્‍યકિતની સદાય માટે ખોટ

માધવસિંહ સોલંકીનું અવસાન થતાં ડાંગર,રાજપૂત, ડો. વસાવડા, ભટ્ટી, ત્રિવેદી સહિતના આગેવાનોએ શ્રદ્ધાંજલી પાઠવી

રાજકોટ, તા.૯ : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પૂર્વ શહેર પ્રમુખ મહેશભાઇ રાજપૂત, ડો. હેમાંગભાઇ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી અને પ્રદીપભાઇ ત્રિવેદીએ શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્‍યું હતું કે, ગુજરાતના પ્રથમ એવા મુખ્‍યમંત્રી તરીકે રહ્યા હતાં અને જેને નાનામાં નાની જ્ઞાતિ ભેગી કરી અને જેને ‘તેર તાંસળી' તરીકે ઉપનામ મળ્‍યું હતું એવા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી, આયોજન પંચના પૂર્વ ઉપાધ્‍યક્ષ, પૂર્વ મુખ્‍યમંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ, દિગ્‍ગજ નેતા માધવસિંહજી સોલંકીના દુઃખદ અવસાનથી ઘેરો આઘાત અનુભવી રહ્યાં છીએ. સાહિત્‍ય કલાના શોખીન, દબાયેલા અને પછાત લોકોનું હિત જેમના હૈયે હતું.. એવા વિરલ વ્‍યકિતત્‍વની ખોટ સદાએ સાલશે. જેથી ખોટ આવનારા ભવિષ્‍યમાં દિવસોમાં કયારેય પૂરી નહિ શકાય. પરમ કૃપાળુ પરમેશ્વર સદ્‌ગતના અત્‍માને શાંતિ આપે તથા ભરતભાઇ અને સમગ્ર કુટુંબીજનોને આ કારમો આઘાત સહન કરવાની શકિત આપે એ જ પ્રાર્થના.

 

(3:31 pm IST)