Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 661 નવા કેસ નોંધાયા:વધુ 692 દર્દીઓ સાજા થયા:આજે બે દર્દીના મૃત્યુ થયું:કુલ મૃત્યુઆંક 10,976 થયો : કુલ 12.45.808 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.56.452 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 5862 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 661 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 692 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.45.808 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા છે,ભાવનગર કોર્પોરેશનમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.976 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.67 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.56.452 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.89.61.997 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 5862 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 19 દર્દી વેન્ટિલેટર પર છે,અને 5843 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 661 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 201 કેસ, સુરત કોર્પોરેશનમાં 39 કેસ, મહેસાણામાં 34 કેસ, સુરતમાં 31 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 57 કેસ,અમદાવાદમાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 46 કેસ, નવસારીમાં 18 કેસ, સાબરકાંઠામાં 7 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, વડોદરામાં 25 કેસ, બનાસકાંઠામાં 29 કેસ, રાજકોટમાં 17 કેસ, પાટણમાં 2 કેસ, વલસાડમાં 6 કેસ, મહીસાગરમાં 2 કેસ, જૂનાગઢ કોર્પોરેશનમાં 3 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 5 કેસ, મોરબીમાં 22 કેસ, ભરૂચમાં 5 કેસ, કચ્છમાં 20 કેસ, પંચમહાલમાં 5 કેસ, ગનહીનગર કોર્પોરેશનમાં 20 કેસ, તાપીમાં 5 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ, આણંદમાં 5 કેસ, જામનગર કોર્પોરેશનમાં 13 કેસ, અમરેલીમાં 1 કેસ, રવલ્લીમાં 12 કેસ, પોરબંદરમાં 4 કેસ, જામનગરમાં 3 કેસ, ગીર સોમાંથામાં 1 કેસ નોંધાયો છે 

(7:59 pm IST)