Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

નર્મદા જિલ્લામાં શનિવારે ૪૫ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૫૭૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૪૫ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર ૦૧, દોલત બજાર ૦૧, આરબ ટેકરા ૦૧, કાળિયાભૂત ૦૧, વિસાવગા ૦૧ તથા નાદોદ તાલુકામાં કાંદરોજ ૦૧, વાવડી ૦૧, વડીયા ૦૨, કુવરપરા ૦૧, વરખડ ૦૧, તવડી ૦૧, ટંકારી ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં જેતપુર ૦૧, કુંભીયા ૦૧, કેવડિયા ૦૧, વઘરાલી ૦૧, અકતેશ્વર ૦૧, માથાવલી ૦૧,ભૂમાલિયા ૦૧, ઝરીયા ૦૧, ગડકોઈ ૦૧, વાડી ૦૧, ખડગદા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં પુછપુરા ૦૧, સાહેબપુરા ૦૧, કામસોલી ૦૨, દેવલીયા ૦૧, વાઘેલી ૦૧, ગમોડ ૦૧, માહિજીપુરા ૦૧, ખાટાસીતરા ૦૧, ઓડાંબિયા ૦૧, હીજડામહુડી ૦૧, તિલકવાડા ૦૧, લીમપુરા ૦૧, બુજેઠા ૦૧, માગુ ૦૧, ઉદયમાંડવા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં કાલબી ૦૧, સોલીયા ૦૧ તથા સાગબારા તાલુકામાં બગનીયાવાડ ૦૧, સાગબારા ૦૧, મોટા ડોરઆંબા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૫ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૩૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૯૭ દર્દી દાખલ છે,જ્યારે આજે ૦૪ દર્દીનું મૃત્યુ થયેલ છે જ્યારે આજે ૪૯ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૨૩૩ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લા માં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૫૭૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૩૨૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:19 pm IST)