Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજપીપળા હાઉસીંગબોર્ડ તથા આસપાસના વિસ્તારોમાં આર્યુવેદિક ઉકાળો તથા દવાનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલના કોરોના મહામારીને વધતી અટકાવવાના ઉપાયો સાથે તથા પ્રજાજનોની ઇમ્યુનીટી વધે તે હેતુથી સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, રાજપીપલા તથા શિવ શરણ ટ્રસ્ટ , રાજપીપલાના સહયોગથી રાજપીપલા ગુજરાત હાઉસીંગ બોર્ડ, રોહિતવાસ તથા આસપાસના વિસ્તારોમાં માં બે દિવસ આર્યુવેદિક ઉકાળો સાથે આર્યુવેદ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ . જેમાં ડો. આકાશભાઇ મારૂ તેમજ રામકૃષ્ણ બી પરમાર અને લલીતકુમાર બી . પરમારે સરાહનીય સેવાઓ આપી હતી

(10:54 pm IST)