Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીમાં ધર્મનિષ્ઠા ,જ્ઞાન,વૈરાગ્ય અને ભકિત અનન્ય હતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

SGVP અને મેમનગર ગુરુકુલમાં ગુરુકુલના આદ્ય સંસ્થાપક પૂજ્યસદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની35મી પુણ્ય તિથીએ  શ્રદ્ધાંજલિ સભા વિદ્યાર્થીઓ દ્વારા અખંડ મંત્રલેખન,ધૂન,

અમદાવાદ તા.8  SGVP ગુરુકુલમાં અને મેમનગર ગુરુકુલમાં   પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં   ગુરુકુલના આદ્ય સંસ્થાપક પૂજ્ય સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩5મી પુણ્ય તીથિએ  ધૂન,ભજન અને મંત્રલેખન વગેરે કરી શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી.

શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,શાસ્ત્રીજી મહારાજે રાજકોટમાં ગુરુકુલની સ્થાપના કરીને  સંપ્રદાયમાં મોટા ક્રાન્તિ આણી છે.પોતે મહાન સંત હતા તો પણ વ્યક્તિ પૂજામાં લેવાયા નથી.ગમે તેવા કપરાં કાળમાં પણ ડગ્યા નથી.અડગ રહ્યા છે.પોતે સાવધાન અને જાગૃત સંત હતા.ભગવાન ઉપર પૂર્ણ ભરોંસો હતો

 આ પ્રસંગે પૂ. શા.માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા  જણાવેલ કે, શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી  નાનકડા ખોબા જેવા અમરેલી જિલ્લાના તરવડા ગામમાં તેમનુ  અવતરણ થયું હતું. નાનપણથીજ તેનામાં જન્મજાત પરમહંસના લક્ષણો હતા. સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી દ્વારા એમની મુમુક્ષુતાનું પોષણ થયું હતું. તેમજ સદ્ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને સદ્ગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી જેવા પવિત્ર સંતોની હૂંફથી એ પરમહંસને પાંખો ફુટી.

      સમર્થ સંતપુરુષોની શ્રદ્ધા પૂર્વકની સેવાથી એમના ઉપર આશિષોના અમૃત વરસ્યા. પરિણામે એમનું એકાંતિક ધર્મમય સંતજીવન ખીલી ઉઠ્યું અને ધર્મજીવનદાસજી નામ પણ સાર્થક થયું.

 ગુણાતીત પરંપરાનું સર્વોપરિ જ્ઞાન અને ઉપાસના તો એમની ગળથૂથીમાં હતા. સાથો સાથ વડતાલ સાત વરસ કરેલા શાસ્ત્રોના ગહન અભ્યાસથી એ જ્ઞાન અને ઉપાસનાએ અગાધ સાગરનુ રુપ ધર્યું.

ઇ.સ.૧૯૪૫ માં વિશ્વયુદ્ધના કટોકટીના સમયમાં જુનાગઢ રાધારમણદેવની સાનિધ્યમાં યોજાયેલ ૨૧ દિવસના યજ્ઞથી સંપ્રદાયમાં એક નવી ચેતના પ્રગટી, યજ્ઞ સમાપ્તિ બાદ પ્રભુએ સર્જેલા સંજોગોમાં

હિમાલયની  યાત્રાએ ગુરુકુલ કરવાની પ્રેરણાએ સંપ્રદાયને સેવાની નવી ઉંચાઇઓ ઉપર લઇ જવાની જાણે પ્રેરણા મળી. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે મહામંત્ર સમાન આજ્ઞા કરી છે કે પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત્સુકૃત્ મહત્ ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગળ આજ્ઞા પ્રમાણે સમસ્ત માનવજાતના કલ્યાણ માટે ગુરુકુલની ભવ્ય પરંપરા સર્જી.  શ્રીજી સંકેત અનુસાર રાજકોટમાંગુરુકુલની સ્થાપના દ્વારા સદવિદ્યા પ્રવર્તનનો મંગળ પ્રારંભ થયો.

   ગુરુકુલની સિદ્ધિઓથી પ્રેરાઇને અનેક ધર્માચાર્યો, સમાજસેવકો અને રાષ્ટ્રિય નેતાઓ આ સેવા કાર્ય તરફ વળ્યા. અને આજે સંપ્રદાયમાં ૧૫૦ ઉપરાંત ગુરુકુલો સ્થપાયા છે અને હજારો બાળકો આધુનિક શિક્ષણની સાથે સંસ્કાર પ્રાપ્ત કરી  રહ્યા છે.ગુરુકુલની સદવિદ્યા પ્રવર્તન પ્રવૃતિથી વિદ્યાર્થીઓમાં શુભ સંસ્કાર સિંચાય, તેમના જીવનનું ઘડતર થાય, ચારિત્રશીલ પેઢી તૈયાર થાય, પણ તેઓ ત્યાંથી અટક્યા નથી. પણ આ વિશાળ દ્રષ્ટિવાળા આ સંતે જપયજ્ઞ, બ્રહ્મસત્ર, ગંગા તટે સત્સંગ શિબિર જેવા મૌલિક કલ્યાણકારી આયોજનો કર્યા. સાથે સાથે જનહિતની સમયોચિત સેવાની અને દેશ હિતની સદપ્રવૃતિ આદરી, આ રીતે સ્વામીજીએ શ્રીજી મહારાજના સર્વજીવહિતાવહ સંદેશાને ચરિતાર્થ કરવા જીવનભર ઉત્સુક રહ્યા..   કર્મમાં પ્રવર્તવું અને છતાં પણ નિર્બંધ રહેવું એ દુષ્કર છે. સાવધાની અને સદગુરુઓની કૃપા ન હોય તો શુભ પ્રવૃતિઓ પણ બંધન સર્જે છે. પૂ.શાસ્ત્રજી મહારાજનું અખંડ જીવન સેવામય હતું, છતા પણ તેઓ સંપૂર્ણ  સાવધાન અને નિર્બંધ હતા.

   આજથી ૭૦ વર્ષ પૂ્ર્વે જ્યારે એમણે શૂન્યમાંથી સર્જન કરતા હોય તેમ ગુરુકુલના બીજ રોપ્યા ત્યારે કોઇ કલ્પના પણ નહોતી કે આ પ્રયોગ વટ વૃ્ક્ષ બની જશે.

ઘણા મહાપુરુષો પોતે જીવનકાળમાં ઘણું મહત્વનું પ્રદાન કરતા હોય છે.પણ મોટા ભાગ્યે તેમના પછી શૂન્યાવકાશ સરજાતો હોય છે. પરંતુ  આ મહાન સંતવર્યે એવું સંસ્કાર ને સેવાપૂર્ણ વાતાવરણ સર્જ્યું, એવો વેગ લગાડી દીધો, જેને લીધે તેમણે વહાવેલો સેવા પ્રવૃતિનો અને ભજન ભકિતનો પ્રવાહ માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા એસજીવીપી ગુરુકુલ,અને પૂરાણી બાલકૃષ્ણદાસજીસ્વામી દ્વારા મેમનગ અમદાવાદ મેમનગર,દ્રોણેશ્વર,રીબડા,રાજકોટ, જુનાગઢ,તેમજ સદગુરુ દેવકૃષ્ણદાસજી સ્વામી,સદગુરુ દેવપ્રસાદદાસજી સ્વામી,સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી વગેરે સંતો તરવડા, હૈદ્રાબાદ, સુરત સ્થળે  સત્સંગ અને સંસ્કારનો  પ્રવાહ  વહાવી રહ્યા છે.

   પોતાની હયાતિમાં બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, સાત સાત સ્પેશ્યલ યાત્રા ટ્રેનો, વિદેશ યાત્રાઓ, મહાન વિષ્ણુયાગો, જપયજ્ઞો, દુષ્કાળ-પૂર જેવા પ્રસંગોએ પીડિતો અને ગરીબોની સેવા, વગેરે સમાજ અને સત્સંગ માટેના બહુજન હિતકારી સેવા પ્રકલ્પોના પ્રેરક તરીકે આજે પણ પથદર્શક બની ગયા છે.

પ્રસિદ્ધિ અને પ્રશંસાથી પર રહેવું એ પૂ સ્વામીજીના જીવનની આગવી વિશિષ્ટતા હતી. મોટા મોટા મહાત્માઓ ધન અને નારીનો ત્યાગ કરી શકે છે, પણ માન સન્માન અને લોકેષણા છોડી શકતા નથી.

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સમર્થ સિદ્ધ સંત હોવા છતાં વ્યકિતપૂજાથી સર્વથા પર હતા.

શિક્ષણ  અને સેવાની વિવિધ પ્રવૃતિઓ છતાં એમનું અયાચક વ્રત અજોડ અને અખંડ રહ્યું  હતું.

તેઓ કહેતા કે મારે જરુર પડશે તો ભગવાન પાસે માગીશ પણ માણસ પાસે લાંબો હાથ કરીને માંગીશ નહીં. સર્વોપરિ ભગવાનને ખોળે બેસી ભિખારી થાઉં તો મારા ભગવાનને શરમ આવે  ------કનુભગત

 

 

(12:20 pm IST)