Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લેતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો, વલ્લભભાઈ કથીરીયા

ડો,કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનેલ દીવડાઓ ભેટ આપીને અભિવાદન કર્યું : કામધેનુ દીપાવલી અભિયાન 'અંગેની માહિતી જાણી રાજ્યપાલશ્રીએ પ્રશન્નતા વ્યક્ત કરી

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની સૌજન્ય મુલાકાત લાઈન રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો, વલ્લભભાઈ કથીરિયાએ ગાયના ગોબરમાંથી બનેલ દીવડાઓ ભેટ આપીને અભિવાદન કર્યું હતું,

  રાષ્ટ્રીય કામધેનુ અયોગ્ય દ્વારા અધ્યક્ષ ડો,વલ્લભભાઈ કથિરિયાના માર્ગદર્શન હેઠળ આ વર્ષે 11 કરોડ પરિવારમાં ગૌમાતાના ગોબરમાંથી બનેલ 33 કરોડ દિવા પ્રગટે તે માટે મંગલાચરણ કરવામાં આવેલ ' કામધેનુ દીપાવલી અભિયાન 'અંગેની માહિતી જાણી રાજ્યપાલશ્રીએ પ્રશન્નતા વ્યક્ત કરી અભિયાનને સમર્થન આપ્યું હતું,

 આ અભિયાનથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ' આત્મ નિર્ભર ભારત '' વોકલ ફોર વોકલ '' ગ્રીન ઇન્ડિયા ', મેઇક ઈન ઇન્ડિયા ' , સહિતના સ્વપ્નને સાકાર થવાને વેગ મળશે,અને ગૌ આધારિત અર્થતંત્ર વ્યવસ્થા દ્વારા સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વનું કલ્યાણ થઇ શકશે

(9:14 pm IST)