Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા દ્વારા જાલમપુરા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ગ્રામજનોને કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે સમજ આપીને જનજાગૃતિ કરવામાં આવી

તસવીર - રસીક કોળી (રૂપાવટી)

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરગમામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવા દ્વારા જાલમપુરા ખાતે  સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંસવાના મેડીકલ ઓફિસર ડૉ. અજય વસાણી દ્વારા જનરલ ઓપીડીમાં પ્રાથમિક સારવારને લગતા તમામ દર્દીઓની તપાસ કરીને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. જરૂરીયાત પ્રમાણે દર્દીઓની લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી. ગ્રામજનોને કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે સમજ આપીને જનજાગૃતિ કરવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં જીલ્લા સદસ્ય અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રાધાબેન મનજીભાઈ સેનવા, જીલ્લા પંચાયત અમદાવાદ આરોગ્ય ચેરમેન જગદીશભાઈ મેણીયા, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, જાલમપુરાના સરપંચ જાન્તીભાઈ ભરવાડ, સામાજિક કાર્યકર મનજીભાઈ સેનવા તથા આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:59 pm IST)