Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિવાળી તહેવારોમાં એસટી વિભાગનો મોટો નિર્ણંય : મંગળવારથી વિશેષ બસ દોડાવાશે :રોજ 600થી 1000 બસનું કરશે સંચાલન

અમદાવાદથી વધારાની 150 બસો,સુરતથી 300 બસો દોડાવાશે: ગ્રુપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ

અમદાવાદ : રાજ્યમાં દિવાળી નજીક આવી હોવાને કારણે ST વિભાગે મોટી જાહેરાત કરી છે. ST વિભાગ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે. તારીખ 10થી 16 નવે દરમ્યાન ST વિભાગ દ્વારા વિશેષ બસો દોડાવાશે. દૈનિક 600થી 1000 બસોનું સંચાલન કરાશે. નોંધનીય છે કે, દિવાળીના લીધે અમદાવાદથી વધારાની 150 બસો દોડાવાશે. જ્યારે સુરતથી વધારાની 300 બસો દોડાવાશે તેમજ ગ્રુપ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે.

(11:46 am IST)