Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અંકલેશ્વરના મોતાલી ગામે પતિએ પત્નીનું સાઇનાઇટનું ઇન્જેક્શન આપી હત્યા કરતા ચકચાર

પત્નીને સારવાર હેઠળ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ખસેડી જ્યાં પતિએ ગ્લુકોઝ બોટલમાં સાઇનાઇટ આપ્યું

અંકલેશ્વર મોતાલી ગામે પતિએ પત્નીની સાઇનાઇટનું ઇન્જેક્શન આપી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીને સારવાર હેઠળ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ખસેડી જ્યાં પતિએ ગ્લુકોઝ બોટલમાં સાઇનાઇટ આપ્યું હતું. સારંગપુર ગામ ની પરણિતા પ્રેમ લગ્ન નો કરુણ અંજામ આવ્યો હતો. પ્રથમ પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતા પરત ઘરે આવી હતી

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ ખાતે આવેલ ગણેશ રેસિડેન્સી ખાતે રહેતા જીગ્નેશ પટેલ જોડે સારંગપુર ની ઉર્મિલાબેન વસાવા જોડે 8 વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જોડે લગ્ન કરી તેવો રહેતા હતા ગત 8 મી જુલાઇ ના રોજ જીગ્નેશ પટેલ એ તેના સાળા વિજય વસાવા ને ફોન કરી જણાવ્યું હતું કે તમારી બહેન છાતી માં દુખાવો ઉપડ્યો છે. જેને લઇ દવાખાને લઇ જવા રીક્ષા માં આવું છું તેમ જણાવી તેવો રીક્ષા લઇ સાળાને ત્યાં આવતા તેવો ઇકો લઇ ને મહાવીર ટર્નીંગ પર આવેલ ઓરેન્જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા દરમિયાન અચાનક પુનઃ ઉર્મિલાબેન ની તબિયત લથડી હતી અને તેમનું મોત થયું હતું ડોક્ટર દ્વારા પણ અચાનક મોત થતા ડઘાઈ ગયા હતા તેવો શંકા જતા ઉપજી હતી મોત ની ખબર સાંભળી આવેલ ભાઈ વિજય તેમજ કાકા દ્વારા હોસ્પિટલ ના તબીબ ડૉ પ્રતીક પટેલ ને પુછાતા પણ પરિવાજનો બધું નોર્મલ હોવા છતાં મોત કેમ થયું તે અંગે જીગ્નેશ પટેલ ની પૂછપરછ કરતા તેને સાઇનાઇટ ઇન્જેક્શન વડે બોટલ માં નાખતો હોવાની કબૂલાત કરી હતી. જે બાદ જીગ્નેશ પટેલ પી.એમ કરવાની ના પાડતા વિજય વસાવા શંકા જતા તેઓએ શહેર પોલીસ મથકે જાણ કરી હતી પોલીસે ફરિયાદ આધારે પેનલ પી.એમ કરાવાયું હતું તેમજ બોટલ અને મૃતક ઉર્મિલાબેન ના વિશેરા લઇ તબીબી પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જેનો પી.એમ રિપોર્ટ આવતા ઉર્મિલાબેન નું મોત સાઇનાઇટથી થયું હોવાનું બહાર આવતા અંતે શહેર પોલીસ દ્વારા મૃતક ઉર્મિલાબેનના ભાઈ વિજય વસાવાની ફરિયાદ આધારે મૃતકના પતિ જીગ્નેશ પટેલ વિરુદ્ધ હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
(12:54 am IST)