Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નર્મદામાં રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જ્યંતિની ઉજવણીમાં લોકગીત અને વકૃત્વ સ્પર્ધા યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી ભાગરૂપે ઝવેરચંદ મેઘાણી રચિત લોકગીત અને  વકૃત્વ સ્પર્ધાનું આયોજન રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક્ની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા નર્મદા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે.
 આ સ્પર્ધામાં જુદા જુદા બે વયજુથ પ્રમાણે કલાકારો ભાગ લઈ શકશે, જેમાં ૧૫ વર્ષથી ૩૫ વર્ષ સુધીના, તેમજ ૩૫ વર્ષથી ઉપરના ઓપન વયજુથમાં ભાગ લઈ શકશે. ઉક્ત સ્પર્ધાની વિડિયો ક્લીત તૈયાર કરી તા.૧૮/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રૂમ નં-૨૧૭, બીજે માળ જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે મોકલી આપવાની રહેશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ।.૧૦૦૦  દ્વિતિય વિજેતાને રૂ।.૭૫૦ તેમજ તૃતિય વિજેતાને રૂ।.૫૦૦ ઇનામ આપવામાં આવશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ।.૨૫,૦૦૦ દ્વિતિય વિજેતાને રૂ।.૧૫,૦૦૦ તેમજ તૃતિય વિજેતાને રૂ।.૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામ આપવામાં આવશે તેમ,જિલ્લા રમત-ગમત કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી, નર્મદા તરફથી જણાવાયું છે.

(12:15 am IST)