Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

રાજપીપળાના સેવાભાવી નિઝામ રાઠોડે જરૂરિયાતમંદ દર્દીને લોહી આપી માનવતા દેખાડી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં લોહીની ઉણપના ઘણા દર્દીઓને ઘણી વખત લોહીની જરૂર જણાઈ છે ત્યારે જિલ્લામાં ઘણી સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પો રાખી સેવકાર્યો કરે છે છતાં ક્યારેક અમુક ગ્રૂપના લોહીની અછત જણાઈ તેવા સમયે રાજપીપળા ની કેટલીક સંસ્થાના યુવાનો આ માટે તુરત પોતાની માનવતા બતવતા હોય છે જેમાં આજરોજ એક દર્દીને લોહીની જરૂર હોવાની વાત સાંભળતા રાજપીપળા રાઠોડ ફળિયામાં રહેતાં નિઝામ રાઠોડ નામના યુવાને તુરત રાજપીપળા રેડક્રોસ બ્લડ બેંક માં પહોંચી પોતાનું બ્લડ ડોનેટ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.
વર્ષો થી મોહસીને આઝમ મિશન નામની એક સમાજ સેવી સંસ્થા ના સક્રિય કાર્યકર એવા નિઝામભાઈ રાઠોડ એ અગાઉ પણ ઘણી વાર કોઈ પણ ન્યાત જાતના ભેદભાવ વિના સમાજ સેવાને મહત્વ આપી પોતાનું જરૂરી યોગદાન આપ્યું છે.

(11:28 pm IST)