Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

કોરોના મહામારી સામેની લડતમાં આપણે ત્યારે જ સફળ થઈશું, જ્યારે દરેક નાગરિક આ રસી લેશે : સંસદ સભ્ય મનસુખ વસાવા

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સંસદ મનસુખભાઈ વસાવાએ કોવિડ-૧૯ ની રસીનો પ્રથમ ડોઝ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સરકાર દ્વારા કોરોના વિરોધી રસીકરણની શરૂઆત થઈ હોય શરૂઆતમાં પોલીસ,અરોગ્ય વિભાગના સરકારી કર્મચારીઓ ને આ રસી અપાઈ હતી ત્યાર બાદ નિયમ મુજબ દરેકને આ રસી આપવાની હોય ત્યારે આજરોજ રાજપીપળા નિવાસી ભરૂચ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ પણ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ રસીનો પ્રથમ ડોઝ લઈ આ રસી એકદમ સલામત છે તેનાથી કોઈ આડઅસર થતી નથી, માટે આપણે સૌ કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું, જ્યારે દરેક નાગરિક આ રસી લેશે તેવો મેસેજ આપ્યો હતો.

(11:01 pm IST)