Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

શનીવારે ગાંધીનગરમાં સમસ્‍ત પ્રજાપતિ સમાજનું ચિંંતન સંમેલન

સી.અર.પાટીલ સહીત આગેવાનો હાજરી આપશેઃ પ્રજાપતિઓના પરીવારજનોને ગાંધીનગર ખાતે ઉમડી પડવા દલસુખભાઇ પ્રજાપતીની હાકલ

રાજકોટઃ માટીકામ કરતા, રોજીંદા જીવન  વપરાશ માટે માટીની ચીજવસ્‍તુઓના કારીગરો ઇંંટોના ભઠ્ઠા અને જાતે ઇંટો પાડતા નાની ભઠ્ઠીવાળાઓને પડતી મુશ્‍કેલીઓમાં સુચારૂ પરિવર્તન આવે એવા ઉદેશથી પ્રજાપતિ જ્ઞાતિનો સર્વે શાખા, ગોળ મંડળના  ગુજરાતભરના હોદેદારો, સમાજના પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો સહીતના બુધ્‍ધિજીવીઓ દ્વારા આ આવશ્‍યક ચિંતન બેઠક સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના  અધ્‍યક્ષ ઉપેન્‍દ્રભાઇ પ્રજાપતિ જણાવે છે કે ૪પ લાખ ઉપરાંતની વસ્‍તી ધરાવતો પ્રજાપતિ સમાજ સંગઠીત છે. એક અવાજે એક છત્ર નીચે આવી જાય એવી સમજ છે એટલે ગુજરાત સરકારના વહીવટના ભાગીદાર થવા, ગુજરાત માટીકામ કલાકારી બોર્ડને સ્‍વતંત્ર દરજજો આપી નિગમ બનાવવા તથા શૈક્ષણીક હેતુ માટે ગાંધીનગરમાં રાહત દરે જમીન  ફાળવવા  તેમજ પ્રજાપતિ સમાજના છેવાડાના ગામડા સુધી પહોંચવા જનજાગૃતી અભિયાન  ચલાવવા બાબતની આ ચિંતન સંમેલનમાં ગંભીરતાપુર્વક ચર્ચા થશે.

ગુજરાતના પ્રજાપતિ સમાજનું ચિંંતન સંમેલન તા.૮ ના બપોરે ર વાગ્‍યે પ્રેક્ષાભારતી આશ્રમ, કોબા સર્કલ, શ્રી કમલમ સામે કોબા ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્‍યક્ષ સી. આર.પાટીલના અધ્‍યક્ષ સ્‍થાને યોજેલ છે.

આ ચિંતન સંમેલનમાં નિરાંત ધામ, મહેસાણાના સંત મહેન્‍દ્રરામ મહારાજ, આપા ગીગાનો ઓટલોના નરેન્‍દ્રબાપુ સોલંકીએ શુભેચ્‍છા આપી છે. આ સંમેલનમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજયના ઉર્જા મંત્રી મુકેશભાઇ પટેલ, ગુજરાત ભાજપના ઉપાધ્‍યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, સાંસદ દિનેશભાઇ અનાવડીયા, ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, ભાર્ગવભાઇ ભટ્ટ તથા ગુજરાત ભાજપના મહિલા મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ હાજરી આપશે.

દલસુખભાઇ પ્રજાપતિ સંમેલનના આયોજક અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉપેન્‍દ્રભાઇ પ્રજાપતિ, મનહરભાઇ પ્રજાપતિ, ધનજીભાઇ પ્રજાપતી, વસંતભાઇ ચૌહાણ, મોહનભાઇ વાડોલીયા, દલસુખભાઇ જાગાણી, ગોરધનભાઇ કાપડીયા, યોગેશભાઇ ઉનાગર, જગદીશભાઇ પ્રજાપતિ, ઇન્‍દરભાઇ પ્રજાપતિ તથા સમાજના નવેનવ ગોળના મુકેશભાઇ, દેવેન્‍દ્રભાઇ, અજીતભાઇ, દામજીભાઇ સતાપરા તથા ભુપતભાઇએ પ્રજાપતિઓને અપિલ કરાઇ છે.

રાજકોટમાંથી નાના મોટા વાહનો તથા બસો દ્વારા વિશાળ સંખ્‍યામાં પ્રજાપતિઓ હાજરી આપશે એવું વસંતભાઇ ચૌહાણની યાદીમાં જણાવાયું છે. ગાંધીનગર ખાતેના આ કાર્યક્રમની વિગતો માટે કનુભાઇ મારૂ મો.૯૩૭૭૪ ૩૭૭૮૮ તથા યોગેશભાઇ પ્રજાપતિ મો.૯૮૭૯૩ ર૮૪૩રનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:59 pm IST)