Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

‘વંદે ભારત’ ટ્રેનનું અમદાવાદમાં અકસ્માતઃ ૨ ભેંસના મોત

ટ્રેનમાં ભારે નુકશાન : આ ટ્રેન ગાંધીનગર પહોંચ્યા બાદ મરામત કરાશે

(કેતન ખત્રી) અમદાવાદ : તાજેતરમાં જ શરૂ થયેલી વંદે ભારત ટ્રેન આજરોજ મુંબઈથી અમદાવાદ આવી રહી હતી ત્યારે બપોરે ૧૨ા વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના વટવા વિસ્તાર નજીક ટ્રેનના પાટા પાસે અચાનક ભેંસનું ટોળુ આવી જતાં અકસ્માતમાં ૨ ભેંસના મોત નિપજ્યા હતા. વેસ્ટર્ન રેલ્વેના પીઆરઓ જયંતભાઈઍ જણાવ્યુ હતું કે, વંદે ભારત ટ્રેન ૧૪૦ કિ.મી.ની ઝડપે જઈ રહી હતી. આ ઘટનામાં ટ્રેનના ચાલકે બ્રેક તો મારી હતી, પરંતુ ટ્રેનની ઍટલી ઝડપ હોય ભેંસને બચાવી શકાઈ ન હતી. આ અકસ્માતમાં ટ્રેનની ઍન્જીનનું ડાબી બાજુનું પડખાનો ભૂક્કો બોલી ગયો હતો. આ ટ્રેન ગાંધીનગર પહોંચ્યા બાદ તેની મરામત કરવામાં આવશે તેમ જણાવાયુ હતું.

(5:20 pm IST)