Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

અમદાવાદના વસ્ત્રાલમાં દુકાનના ભાડાના પૈસાની બાબતે માલિકને છરીના ઘા મારી મોતનેઘાટ ઉતારનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:શહેરમાં હત્યાનો બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે વસ્ત્રાલ વિસ્તારમાં દુકાનના ભાડાના રૂપિયા લેવા ગયેલા દુકાન માલિકની છરીનાના ઘા મારીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે કે ઘોડાસર વિસ્તારમાં વનદેવી બંગલોમાં રહેતા બીપીનભાઈ કે પ્રજાપતિએ પોતાની દુકાન 17 હજાર રૂપિયા મહિને ભાડેથી આપી હતી જેનું ભાડું બાકી હોવાથી ગઈ કાલે રાત્રે તેઓ ભાડુ લેવા ગયા હતા સમય વસ્ત્રાલ પાર્વતી નગર ખાતે રહેતા દશરથ પ્રહલાદ ઠાકોર અને હિતેન્દ્રસિંહ ભગવાનસિંહ પરમારે છરીના ઘા મારીને હત્યા કરી હતી અને દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)