Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રાજ્યમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા : વધુ એક દર્દી સ્વસ્થ થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.046 થયો :કુલ 12.66.603 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 552 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 10કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે, આજે વધુ એક દર્દી સ્વસ્થ થયા છે, અત્યાર સુધીમાં કુલ 12,66,603 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,046 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 552 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.58.584 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 10 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી જયારે 10 દર્દીઓ સ્ટેબલ છે.રાજ્યમાં આજે નવા 2 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે

(7:38 pm IST)