Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગામડાની પ્રજાએ ફરીવાર ભાજપાને જાકારો આપ્યો

કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા દ્વારા પ્રતિક્રિયાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ લોકો કોંગ્રેસ સાથે રહ્યા છે : મનિષ દોશી

અમદાવાદ, તા. ૬, પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતુ ંકે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે, ૭૦ ટકા ગ્રામ પંચાયતોમાં સરપંચો અને વોર્ડ સદસ્યો કોંગ્રેસ પક્ષને સમર્પિત અને કોંગ્રેસનું સમર્થન ધરાવતા છે.

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ, ગૌચરની જમીનનો મુદ્દો, પાણી કાપ, ખેડૂતોને પૂરતી વીજળી અપાઇ નથી તે સહિતના તમામ મુદ્દાઓને લઇ ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ભાજપ પરત્વે ભારોભાર નારાજગી અને આક્રોશ પ્રવર્તતા હતા, તેનું પરિણામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ લગભગ ૮૦ ટકા ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની લહેર છવાઇ હતી તે જ પ્રકારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ ગ્રામ્ય પ્રજાએ ફરીએકવાર ભાજપને જાકારો આપી કોંગ્રેસ તરફી જનાદેશ આપ્યો છે.

(10:00 pm IST)