Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

હિંગળાજ માતાજીની પાલખી યાત્રા યોજાઇ

અમદાવાદ : રજત જયંતિ વર્ષ નિમિત્તે ખંભાતી ખત્રી ફાઉન્ડેશન અને ખંભાતી ખત્રી યુવા-સંગઠન દ્વારા આયોજિત શ્રી હિંગળાજ માતાજીના પુનઃ સ્થાપનને રપ વર્ષ પૂર્ણ થતા પાલખી યાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પાલખી યાત્રા દોલતખાના સારંગપુર હિંગળાજ માતાજીના મંદિરથી લઇ ર કિ.મી.ની યાત્રા બાદ નીજ મંદિર પરત ફરી હતી. આ પલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ હાજર રહીને માતાજીની પાલખીનાં દર્શનનો લ્હાવો લીધો હતો.

(5:12 pm IST)