Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ચૂંટણી જીત્યા બાદ ભાજપ ખેડૂતોને આપેલા વચનો ભૂલી ગઈ :સુરતમાં પરેશ ધનાણીના સરકાર ઉપર પ્રહાર

2019માં ગુજરાતની જનતા સાથ આપશે અને નવા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીશું

સુરતઃ વિપક્ષના નેતા પદે વરણી થયા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ સુરતમાં ભાજપની સરકાર ઉપર પ્રહાર કર્યા હતા પરેશ ધાનાણીએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ ચૂંટણી જીત્યા બાદ ખેડૂતોને આપેલા વચનો ભૂલી ગઈ છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. 2019માં ગુજરાતની જનતા અમને સાથ આપશે અને નવા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરીશુ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો
  વિપક્ષના નેતા બન્યા બાદ સુરતના મહેમાન બનતા પરેશ ધાનાણીનું સર્કિટ હાઉસ ખાતે સુરત કોંગ્રેસ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું પ્રસંગે પરેશ ધાનાણીએ સુરતથી શરૂ થયેલી નવસર્જન ગુજરાત યાત્રાને યાદ કરી હતી.જનતાએ કોંગ્રેસને આપેલા સમર્થનને તેમણે સમગ્ર ગુજરાતને નવસર્જનનો સાદ સાંભળ્યો તેમ કહીને બિરદાવી હતી.

(9:37 am IST)