Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કોઈ ના મળ્યા ,અમે જ મળ્યા ? :બજેટમાં પ્રસારણ ઉપર ટેક્સ લગતા મોરારિબાપુનો કટાક્ષ

સાવરકુંડલામાં ખાનગી હોસ્પિટલનું રેડિઓલોજી અને સર્જીકલ ડિપાર્ટમેન્ટનું મોરારીબાપુએ કર્યું લોકાર્પણ

 

અમરેલીમાં સાવરકુંડલામાં ચાલતી મોરારી બાપુની કથામાં બજેટ મુદ્દે બાપુએ ''કોઈ ના મળ્યા અમે મળ્યા ?તેવું કહીને હળવો કટાક્ષ કર્યો હતો કટાક્ષ કર્યો હતો.બજેટમાં પ્રસારણને લઈને જે ટેક્સ લગાવવામાં આવ્યો છે. તેના પર બાપુએ કહ્યુ કે કોઈ મળ્યા અમે મળ્યા તેમ કહી કટાક્ષ કર્યો હતો.

 

  અમરેલીના સાવરકુંડલા ખાતે ખાનગી હોસ્પિટલનું રેડીયોલોજી અને સર્જિકલ ડિપાર્ટમેન્ટનું કથાકાર મોરારી બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પ્રસંગે સંગીતકાર, સાહિત્યકાર અને કવિઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સાથે હોસ્પિટલ બનાવવામાં ભાગીદાર થનાર લોકોનું પણ સન્માન કરાયું હતું .

 

(9:23 am IST)