Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અમદાવાદમાં કહેર સાથે રાજ્યમાં વિસ્તરતો કોરોના :છેલ્લા 24 કલાકમાં 572 નવા કેસ નોંધાયા:વધુ 489 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :કુલ મૃત્યુઆંક 10,947: કુલ 12,20.146 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 67.825 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 3595 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 572 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 489 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.20.146 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.947 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.82 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 67.825 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11,16.44.512 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 3595 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે,અને 3594 દર્દીઓ સ્ટેબલ છે .

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 572 અમદાવાદ કોર્પોરેશન 249 કેસ, સુરત કોર્પોરેશન 82 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 41 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 22 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 21 કેસ,વલસાડમાં 18 કેસ, નવસારીમાં 16 કેસ, જામનગર કોર્પોરેશનમાં 13 કેસ, કચ્છ અને સુરતમાં 12-12 કેસ,.ગાંધીનગર કોર્પોરેશન અને મોરબીમાં 9-9 કેસ, અમદાવાદ, ભરૂચ અને પાટણમાં 8-8 કેસ, ગાંધીનગર અને મહેસાણામાં 7-7 કેસ, રાજકોટમાં 5 કેસ, આણંદ અને ખેડામાં 4-4 કેસ, અમરેલી અને પોરબંદરમાં 3-3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ તાપીમાં 2-2 કેસ, જામનગર જૂનાગઢ,પંચમહાલ,સાબરકાંઠા અને વડોદરામાં 1-1  કેસ નોંધાયો છે 

(8:24 pm IST)