Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

નર્મદા જિલ્લામાં જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં તા.૧૧ મી ડિસેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં ચેરમેન એન.પી. ચૌધરીનાં અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૧/૧૨/૨૦૨૧નાં રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, લગ્ન વિવાદો (છૂટાછેડા સિવાયના કેસો), જમીન સંપાદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસૂલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ, ભરણપોષણ ધ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઇ હુકમ, અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મુકી શકાશે.
નેશનલ લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા અથવા તો જે તે તાલુકામાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમીતિની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે. જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા અને તાલુકા કાનૂની સેવા સમિતિ, રાજપીપલા માટે ફોન નં.(૦૨૬૪૦)- ૨૨૦૨૯૪ તેમજ સંબંધિત તાલુકા સેવા સમિતિઓ પૈકી દેડીયાપાડા માટે ફોન નં.(૦૨૬૪૯)-૨૩૪૦૦૪, સાગબારા માટે ફોન નં.(૦૨૬૪૯)-૨૫૫૨૫૦, તિલકવાડા માટે ફોન નં.(૦૨૬૬૧)-૨૬૬૧૨૩ અને ગરૂડેશ્વર માટે ફોન નં.(૦૨૬૪૦)-૨૩૭૦૪૪ છે, જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા જે.એ. રંગવાલા, સચિવ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

(11:19 pm IST)