Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

પરિમલ પંડ્યા, એસ.ડી.ધાનાણી સહિત ૧૬ અધિક કલેકટરો I.A.S. કેડરમાં

ટુંક સમયમાં જિલ્લા વિકાસ અધિકારી સમકક્ષ જગ્યા પર થશે નિમણુક

રાજકોટ,તા. ૩ : ભારત સરકારે જી.એ.એસ. કેડરના ૧૬ અધિકારીઓને (અધિક કલેકટર) હવે આઇ.એ.એસ. કેડરમાં નિમણુક આપી છે. તેઓ ટુંક સમયમાં ડી.ડી.ઓ અથવા તેની સમકક્ષ જગ્યા પર નિમૂક પામશે. તેઓની બઢતીના પગલે રાજ્યના વહીવટી તંત્રમાં ફેરફારો તોળાઇ રહ્યા છે. અગાઉ રાજકોટમાં નિવાસી અધિક કલેકટર રહી ચૂકેલા પરિમલ પંડ્યા અને નાયબ ડી.ડી.ઓ રહી ચૂકેલા એસ.ડી.ધાનાણીનો બઢતી મેળવનારા ૧૬ અધિકારીઓમાં સમાવેશ થાય છે.

આઇ.એ.એસ. કેડરમાં આવેલ ૧૬ અધિકારીઓના નામ અને તેમના હાલના પદ નીચે મુજબ છે. (૧) જયશ્રી દેવાંગન, એડી.ડાયરેકટર, સર્વ શિક્ષા અભિયાન, (૨) એસ.ડી.ધાનાની, ડીઆરડીએ -પોરબંદર, (૩) ડી.એમ.સોલંકી, એડી કમિશનર -ખાણ ખનિજ, (૪) પ્રકાશ મકવાણા, ડે.સેક્રેટરી, મહેસુલ વિભાગ, (૫) અશોક.જે.અસારી અધિક કલેકટર, (૬) ભરત કે વસાવા, પ્રો.ઓફિસર, ટ્રાયબલ એરિયા સબ પ્લાન, (૭) કે.એસ.વાસવા નિવાસી અધિક કલેકટર, છોટાઉદેપુર, (૮) સી.બી.બલાત, ડીઆરડીએ, દાહોદ, (૯) બી.બી. વહોનિયા, રેસિ.એડિશનલ કલેકટર, તાપી, (૧૦) આર.આર. ડામોર, એડી. કલેકટર, રિજીયોનલ કમિશનર કચેરી (૧૧) એસ.પી.ભગોરા, પ્રો.ઓફિસર ટ્રાયબલ એરિયા સબ પ્લાન (૧૨) એલ.એમ. ડિડોંડો, ડીઆરડીએ, નર્મદા (૧૩) બી.ડી.નિનામા, પ્રો.ઓફિસર ટ્રાયબલ એરિયા સબ પ્લાન (૧૪) એન.વી.ઉપાધ્યાય, ડે.મ્યુ. કમિશનર, સુરત (૧૫) એ.આર.શાહ જોઇન્ટ સેક્રેટરી જાહેર સેવા આયોગ (૧૬) પરિમલ પંડ્યા નિવાસી અધિક કલેકટર, અમદાવાદ. 

(11:18 am IST)