Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

ગોરા ખાતે આવેલ આદિવાસી સંસ્કાર ધામ પ્રાથમિક શાળા ના આચાર્ય સહિત 3 સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે આવેલ આદિવાસી સંસ્કાર ધામ પ્રાથમિક શાળાના વોચમેન પર શાળાના આચાર્ય સહિત ત્રણ ઈસમો એ માર મારતા વોચમેન દ્વારા ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે આવેલ આદિવાસી સંસ્કાર ધામ પ્રાથમિક શાળામાં વોચમેન તરીકે ફરજ બજાવતા ગરુડેશ્વરનાં બારાખડી ગામે રહેતા માનસિંગભાઇ લાલજીભાઇ વસાવાએ નોંધાવેલી  ફરિયાદ મુજબ આદિવાસી સંસ્કાર ધામ પ્રાથમિક શાળા ગોરા ખાતે આચાર્ય તરીકે ની ફરજ બજાવતા ચેતનભાઇ તડવી તેમની સાથેના અલ્કેશભાઇ તડવી, દર્શનાબેન તડવી આ ત્રણેય ભેગા મળીને વોચમેનને કહેલ કે તમોએ અમારા ઉપર નોટીશ કેમ લખાવેલ છે. તેમ કહી ગમે તેમ ગાળો બોલી મોઢાના ભાગે લાફા મારી તથા પેટના ભાગે ઢીકા પાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી કરતા વોચમેન માનસિંગભાઇ વસાવાએ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગરૂડેશ્વર પોલીસે તપાસ હાથ ધરી છે.

(9:58 pm IST)