Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કોરોના મહામારી સામેના જંગને જીતવા નાગરિકોને વેક્સીન મુકાવવા રાજ્યપાલનો અનુરોધ

રાજ્યપાલએ ગાંધીનગર સિવિલ હોસ્પીટલ પહોંચી કોવિડ-૧૯ વેક્સીન મુકાવી

અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ પહોંચી કોવિડ-૧૯ વેક્સીન લીધી હતી. વેક્સીન લીધા બાદ, રાજયપાલએ જણાવ્યું હતું કે, કોરોના સામેની આ વેક્સીન એકદમ સુરક્ષિત છે. વેક્સીનની કોઈ આડ અસર નથી. કોરોના મહામારી સામેના જંગને જીતવા પ્રત્યેક નાગરિકને વેક્સીન મુકાવવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો

  રાજયપાલએ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજનબદ્ધ ચાલી રહેલા વેક્સીનેશન કાર્યક્રમને અભૂતપૂર્વ ગણાવ્યો હતો અને પ્રશંસા કરી હતી. રાજ્યપાલ સાથે તેમના ધર્મ પત્ની શ્રીમતી દર્શના દેવીઍ પણ વેક્સીન મૂકાવી હતી

(8:13 pm IST)