Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજ્યમાં કોરોના વકર્યો : નવા 480 કેસ નોંધાયા : વધુ 369 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 4412 : કુલ 2,64,564 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 5 જિલ્લામાં એકપણ કેસ નહીં : રાજ્યમાં વધુ 1,31,969 લોકોને રસી અપાઈ

રાજ્યમાં આજે સુરતમાં 105 કેસ, અમદાવાદમાં 101 કેસ, વડોદરામાં 93 કેસ, રાજકોટમાં 54 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, આણંદ અને કચ્છમાં 10-10 કેસ, જૂનાગઢ અને ભાવનગરમાં 8-8 કેસ, ભરૂચમાં 7 કેસ, ખેડામાં 6 કેસ, મહેસાણા, પંચમહાલ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા : રાજ્યમાં હાલમાં 2749 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 480 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 369 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 480 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 369 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,64,564 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં  મૃત્યુઆંક 4412 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 97,36 થયો છે

    રાજ્યમાં હાલ 2749 એક્ટિવ કેસ છે, જેમાંથી 40 લોકો વેન્ટિલેટર પર અને 2609 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,64,564 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના  રસીકરણનો પ્રારંભ થયેલ છેબીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 11,09,515 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 2,45,010 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની વાય વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી આજે કુલ 1,01,991 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું

 રાજ્યમાં આરોગ્યવિભાગની અસરકારક કામગીરીને કારણે આજે રાજ્યના ભાવનગર, પાટણ, પોરબંદર , સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 480 પોઝિટિવ કેસમાં સુરતમાં 105 કેસ, અમદાવાદમાં 101 કેસ, વડોદરામાં 93 કેસ, રાજકોટમાં 54 કેસ, ગાંધીનગરમાં 11 કેસ, આણંદ અને કચ્છમાં 10-10 કેસ, જૂનાગઢ અને ભાવનગરમાં 8-8 કેસ, ભરૂચમાં 7 કેસ, ખેડામાં 6 કેસ, મહેસાણા, પંચમહાલ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા હતા

(7:51 pm IST)