Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

સુરતના પુણાગામે હરસ માસની બીમારીથી કંટાળી કોલેજીયન યુવતીએ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: પુણાગામમાં ગુરૃવાર સાંજે  હરસ મસાની બિમારીના લીધે કોલેજીયન વિધાથની તથા પાંડેસરામાં પતિ સાથે ઝઘડો થયા બાદ પત્ની અને પુણામાં યુવાને આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ ગીર સોમનાથમાં સુત્રોપાડાના ટોબરાગીરની વતની અને હાલમાં સરથાણામાં સીતાનગર ચોકડી પાસે  વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતી ૨૨ વર્ષીય મનાલી કુમનભાઈ પોલરાએ ગુરુવારે સાંજે ઘરમાં લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું.પોલીસે જણાવ્યું હતું કે મનાલી  નિયોલ વિસ્તારની કોલેજમાં બી.કોમના. બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. છેલ્લા દોઢ વર્ષથી તેને હરસ મસાની તકલીફ હોવાથી કંટાળીને આ પગલુ ભર્યુ હતુ. બીજા બનાવમાં પાંડેસરામાં વડોદગામમાં ગણેશનગરમાં રહેતી ૨૩ વર્ષીય ગાયત્રી આકાશ પાસવાને ગુરુવારે રાતે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. પોલીસે કહ્યુ કે ગાયત્રી પર સંબંધીનો ફોન આવ્યા બાદ પતિ સાથે ઝધડો થયો હતો. બાદમાં તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ત્રીજા બનાવમાં ઉમરવાડામાં રાજુનગર ઝુપડપટ્ટીમાં રહેતો ૨૪ વર્ષીય આકાશ મોહન પારસકર ગુરુવારે રાતે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે કુરીયરમાં નોકરી કરતો હતો.

(6:15 pm IST)