Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

કોલીવાડા પનગામમાં મનરેગાની કામગીરી બાબતે બોલાચાલી બાદ માર મારી ધમકી આપતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા (પનગામ)નાં બસ સ્ટેન્ડ પાસે નજીવી બાબતે બોલાચાલીમાં માર મારનાર ત્રણ શખ્શો સામે ગુન્હો  દાખલ થયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર જગદીશભાઇ પાંચીયાભાઇ વસાવા( રહે.કુટીલપાડા નિશા તા. દેડીયાપાડા જી.નર્મદા) નાઓની ફરિયાદ મુજબ કનુભાઇ ગુરજીભાઇ વસાવા રહે,કોલીવાડા (પનગામ) નાઓની સાથે તેમની ગઇ તા.૩૦/૦૧/૨૦૨૩ના રોજ મનરેગાની કામગીરી બાબતે બોલાચાલી થયેલ હતી જે બાબતની અદાવત રાખી કોલીવાડા ગામના સબ સ્ટેશનને કનુભાઇ તથા (૨) પ્રવિણભાઇ કરમસીગભાઇ વસાવા નાઓ તેમને કહેતા હતા કેમ તુ અમારા વિરૂધ્ધમાં ફરીયાદ કરવાની ગામના માણસોને કહેતો ફરે છે તેમ કહી મા-બેન સમાણી ગાળો બોલતા સકીલાલભાઇ એ ગાળો બોલવાની ના પાડતા કનુભાઇ એ સકીલાલભાઇની ફેંટ પકડી લાફો મારી જમીન ઉપર પાડી દઇ ગરડા પાટુનો માર મારવા લાગતા જગદીશભાઈ વધુ મારમાંથી છોડાવવા જતા તેને પણ ગરડા પાટુનો માર મારેલ અને સાહેદને વધુ માર મારતા હોય જેથી જગદીશભાઈ તથા વસુલાબેન નાઓએ સાહેદને વધુ મારથી છોડાવેલ હતો ત્યારે આ લોકો કહેતા હતા કે આજે તો બચી ગયા છો ફરીવાર મળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા હતા અને ફરી, તથા સાહેદો પોતાના ઘરે હાજર હતા તે વખત જેઠાભાઇ બંદીલાલ વસાવા( રહે.કુટીલપાડા તા. દેડીયાપાડા જી.નર્મદા)  નાઓ ઉપરાણુ લઇ ફરી.ના ઘરે જઇ માં-બેન સમાણી ગાળો આપી જાનીથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કર્યો હતો.

(11:06 pm IST)