Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ધુરંધર આદિવાસી નેતા પણ નારાજ ? મનાવી લેવાયાની ભારે ચર્ચા

અમદાવાદ : રૂપાણી મંત્રી મંડળમાં રિસામણા-મનામણાની મોસમ ખુલી હોય તેવું લાગે છે, નિતીનભાઇ પટેલ અને પરસોતમ રૂપાલા બાદ ભવાન ભરવાડ પણ નારાજ થયા હતા તે પછી હવે એક મોટા ગજાના આદિવાસી નેતા પણ ભારે નારાજ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહયુ છે : જો કે તેમને પણ હાલ તૂર્ત મનાવી લેવાયાની ચર્ચા છે. મંત્રી મંડળની રચના અને ખાતાઓની વહેંચણી બાદ જબરો ધુંધવાટ ફેલાઇ રહયાનું કહેવાય છે. ટુંક સમયમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયાની ચર્ચાય રહયું છે.

(4:24 pm IST)