Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

સુરત બંધનું એલાન દલિત સમાજે પાછું ખેંચ્યું ; પોલીસ કમિશ્નર સાથેની મુલાકાત બાદ લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય


સુરત ;સુરત બંધનું એલાન દલિત સમાજે પાછું ખેંચ્યું છે દલિત સમાજના લોકોએ સુરત પોલીસ કમિશ્નર સાથે મુલાકાત કરી હતી.ત્યારબાદ બંધના એલાનને પરત ખેંચવાની જાહેરાત કરી છે લોકોની સુરક્ષા અને સલામતિને ધ્યાનમાં રાખી બંધના એલાનને પરત ખેંચવા નિર્ણય કરાયો હોવાનું જણાવાઈ છે
   પૂણેની હિંસાના પડ્ઘા સુરતમાં પડ્યા હતા સુરતના ઉધાના વિસ્તારમાં દલિત સમાજના લોકો દ્વારા ચક્કાજામ કરવામા આવ્યું હતું. દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા. અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પરિસ્થિતિને કાબૂ લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ દલિત સમાજના લોકોએ સુરત પોલીસ કમિશ્નર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બંધનું એલાન પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

(12:41 am IST)