Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

ફિલ્‍મ અભિનેતા પરેશ રાવલે વલસાડમાં જાહેરસભાને સંબોધતા બંગાળીઓ વિશે વિવાદાસ્‍પદ નિવેદન કર્યુઃ વિવાદ થતા અંતે માફી માંગી

પરેશ રાવલે સ્‍પષ્‍ટતા કરતા જણાવ્‍યું કે, બંગાળીઓથી તેમનો મતલબ ગેરકાયદેસર બાંગ્‍લાદેશી અને રોહિંગ્‍યાથી હતો

અમદાવાદઃ પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે વલસાડ ખાતે જાહેરસભામાં બંગાળીઓ વિશે વિવાદાસ્‍પદ નિવેદન કર્યુ હતુ. જો કે વિરોધ થતા તેમણે માફી માંગી હતી.

બોલિવુડ અભિનેતા પરેશ રાવલે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોડે મોડે એન્ટ્રી કરી. પરંતું પ્રથમ તબક્કાના મતદાન દિવસે પરેશ રાવલે વલસાડમાં જંગી જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે બંગાળીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. તેમનું આ વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયુ હતું, અને લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. જેના બાદ તેઓએ માફી માંગતી ટ્વીટ કરી હતી. અભિનેતા પરેશ રાવલને વલસાડમાં બંગાળીઓ પર કરાયેલા વિવાદિત નિવેદન પર માફી માંગવી પડી છે. તેઓએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, બંગાળીઓથી તેમનો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી હતો. છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. 

 પૂર્વ સાંસદ અને અભિનેતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચાર છે. વલસાડમાં તેઓએ કહ્યુ હતું કે, ગુજરાતના અનેક લોકો મોંઘવારી તો સહન કરી લેશે, પરંતું બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને નહિ. તેમણે પ્રચાર રેલીમાં કહ્યું હતું કે, ગેસ સિલેન્ડર મોંઘા થઈ રહ્યાં છે, ક્યારેક તો તેમના ભાવ નીચા જશે. લોકોને રોજગાર પણ મળશે. પરંતુ દિલ્હીની જેમ જો રોહિંગ્યા અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગ્યા તો શું થશે. ગેસ સિલેન્ડરનું તમે શું કરશો. બાંગ્લાદેશીઓ માટે માછલી પકવશો. ગુજરાતના લોકો મોંઘવારી સનહ કરશે, પરંતુ પાડોશી બાંગ્લાદેશી અને રોહિંગ્યાને નહિ. 

પરેશ રાવલ આ નિવેદન આપીને ટ્રોલ થયા હતા. અને અંતે જ્યારે લાગ્યું વિવાદ વધી રહ્યો છે તેઓએ માફી માંગી લીધી. તેઓ માફી માગતી ટ્વીટમાં જવાબ આપ્યો કે, નિશ્ચિત રૂપથી માછલી કોઈ મુદ્દો નથી, કારણ કે, ગુજરાતીઓ માછલી પકવે-ખાય છે. પરંતું સ્પષ્ટ કરી દઉં કે બંગાળીથી મારો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી છે. પરંતું છતાં જો તમારી ભાવના દુભાઈ છે તો માફી માંગુ છું. 

(5:39 pm IST)