Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: નવા 62 કેસ નોંધાયા:વધુ 190 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.034 થયો :કુલ 12.63.188 લોકોએ કોરોનાને હરાવ્યો

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 779 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 62 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 190 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,63,198 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,034 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.08 છે

 રાજ્યમાં હાલ 779 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 774 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 62 કેસમાં અમદાવાદમાં 23 , સુરતમાં 16, સુરત જિલ્લામાં 8, વડોદરમાં 5, રાજકોટમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1, જુનાગઢમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. 

 

(8:13 pm IST)